મગજની અસ્થિરતાને કારણે નિદોષ ઠરાવી છોડી મૂકવાનો ફેંસલો - કલમ : 373

મગજની અસ્થિરતાને કારણે નિદોષ ઠરાવી છોડી મૂકવાનો ફેંસલો

કોઇ આરોપીએ જે સમયે કોઇ ગુનો કયૅાનું કહેવામાં આવતું હોય તે સમયે તે અસ્થિર મગજનો હોવાથી જે કૃત્યથી ગુનો બનતો હોવાનું કહેવામાં આવતું હોય તે કૃત્યનો પ્રકાર જાણવા અથવા તે ગેરકાયદે કે કયદા વિરૂધ્ધનું હોવાનું જાણવા પોતે અસમથૅ હતો એવા કારણે તેને નિદોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ હોય તો તે આરોપીએ કૃત્ય કર્યુ હતું કે નહી તે હકીકત નિણૅયમાં સ્પષ્ટ રીતે જણાવવી જોઇશે.